બનાસકાંઠાઃ એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ. પરંતુ સમાજમાં દલિતો સાથે હજુપણ ઘણી જગ્યાએ સારો વ્યવહાર કરવામાં આવતો નથી. આવી જ એક ઘટના ડિસામાં બની છે. ડિસામાં આવેલા વિઠોદર ગામે દલિતોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. દલિત સમાજ દ્વારા આ મુદ્દે કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ સાથે દલિત સમાજે કહ્યું કે, આગામી દિવસોમાં મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.