Gujarat Election 2022, દિવ્યેશ જોશી/ રાજકોટ: વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલનું રાજકારણ ફરી ગરમાયુ છે. આજે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની જૂની જોડી તૂટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું છે કે, ગોંડલ બેઠક પર હું અને મારાં સમર્થકો કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરશું. મારાં અને મારાં પરિવાર સામે જયરાજસિંહ જાડેજા જેમ તેમ બોલે તે અમારા માટે સ્વમાનની લડાઈ છે. મારું દિલ તો ભાજપમાં જ છે અન્ય ભાજપના ઉમેદવારોને સમર્થન આપીશ, પણ ગોંડલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડીશ.


ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાથી ખુબ જ દુઃખી છે અને તેનું પરિણામ આગામી 8 ડિસેમ્બરે જોવા મળશે. ગોંડલમાં પરિવર્તન છે તે નક્કી છે અને ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે કે આ ચૂંટણીમાં ન હોવા છતાં જયરાજસિંહ જાડેજા અમારા પરિવારના ખોટી રીતના ટાર્ગેટ બનાવે છે.


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube