Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સ્ટાર પ્રચારકો પોતાના અંદાજમાં ભાષણ આપીને વાર પ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવ્યા છે. મંગળવારે તેમણે બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહન સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેમણે પોતાનો અલગ અંદાજ પણ રજૂ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ભાજપના સાંસદે AAP પર કર્યા પ્રહારો
દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વિધાયકને માર્યો આ ઘટનામાં 2 કરોડ લઈને ટિકિટ વેચતા જેને ટિકિટ ન મળી એણે માર્યા હતો. હું ટીકા નથી કરતો હું કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીને કહું છું કે અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરે, ક્યાંક તેમને કોઈ ના મારે. 


મનોજ તિવારીએ કોંગ્રેસને આડે હાથ લીધી
મનોજ તિવારીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સાથે આજે કનૈયા કુમાર ફરી રહ્યા છે, જેમણે JNUમાં નારા લગાવ્યા. જે આજે કોંગ્રેસમાં સૌથી નજીકનો દોસ્ત કનૈયા કુમારને બનાવ્યો છે. આમની પાસે જો કોઈ અધિકારી આવશે તો દેશને તોડવાનો અને લુંટવાનો પ્રયાસ કરશે. 


આ પણ વીડિયો જોજો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube