સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી સભાને સંબોધવા માટે સુરત પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટથી મોટા વરાછા રોડ સુધી 30 કિલોમીટર જેટલો લાંબો રોડશો કર્યો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બંને તરફ લોકો મોદી-મોદીના નારા લગાવતા હતા. પીએમ મોદીએ પણ કારમાંથી બહાર આવી લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોતાની સભામાં આતંકવાદથી લઈને સુરતના વિકાસ સુધીની અનેક વાતો કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, આજની નવી પેઢીના યુવાનોએ અમદાવાદ-સુરતના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. કેટલાક લોકો બાટલા હાઉસ બ્લાસ્ટને આતંકવાદ ગણતા નહોતા. આ લોકોથી ચેતવાની જરૂર છે, જે આતંકવાદનું સમર્થન કરે છે. આજે તમારી સાથે વાત કરતા મને 14 વર્ષ પહેલા મુંબઈ પર થયેલા આતંકી હુમલાની વાત યાદ આવી રહી છે. આ સૌથી મોટો હુમલો હતો. આ હુમલા બાદ આતંકીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ, હિન્દુઓ પર આતંકનું લેબલ લગાવવાનું કાર્ય કરી રહી હતી. વોટબેંકની રાજનીતિ કરતા આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાના છે. આજે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર આતંકવાદને કચળવા માટે લાગેલી છે. દેશના વિકાસ માટે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે ભાજપ સરકાર મજબૂતીથી કામ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Gujarat Election 2022: સુરતમાં પીએમ મોદીના રોડ શોમાં જનમેદની ઉમટી પડી, જુઓ તસવીરો


સુરતના કર્યા વખાણ
પ્રધાનમંત્રી મોદીએ ભાષણની શરૂઆતમાં સુરતીઓના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે કોઈ રોડશોનું આયોજન નહોતું. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે કહ્યું કે, આવો જનસાગર ક્યારેય જોયો નથી. હું ચૂંટણી પ્રચાર માટે નહીં તમને મળવા માટે આવ્યો છું. મને વિશ્વાસ છે કે આ વખતે ચૂંટણીમાં દરેક રેકોર્ડ તૂટી જવાના છે. ગુજરાત આ વખતે દરેક વિક્રમ તોડી નાખવાનું છે. 


સુરતીઓ દ્વારા ચાલતા સેવા કાર્યોનો કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું ભાવનગરમાં 500 દીકરીઓના સમૂહ લગ્નમાં ગયો હતો. આ એવી દીકરીઓના લગ્ન હતા, જેણે પોતાના પિતા ગુમાવી દીધા છે. આ લગ્નમાં પણ સુરતની સુવાસ દેખાતી હતી. ડાંગના જંગલમાં પણ સુરતની છાપ જોવા મળે છે. આધુનિક હોસ્પિટલ હોય કે રક્તદાન સુરતની સુવાસ દરેક જગ્યાએ જોવા મળે છે. સુરતના સમાજે સેવા કાર્યો માટે અનોખી પહેલ કરી છે. 


આ પણ વાંચોઃ PM મોદીએ નેત્રંગમાં બે આદિવાસી બાળકો સાથે કરી મુલાકાત, જાણો કોણ છે જય અને અવિ


સુરતના વિકાસ પર બોલ્યા પ્રધાનમંત્રી
દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 5માં નંબરે પહોંચી છે. સુરતીઓ હીરામાં અને લેબગ્રોનમાં ધમાલ મચાવી રહ્યાં છે. ટેક્સટાઈલ સેક્ટર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ બની ગયું છે. 20 વર્ષમાંગુજરાતમાં 16 લાખ કરોડનું મેન્યુફેક્ચરીંગ થાય છે.સાયકલ નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનશે. 7 લાખ લૂમ્સ આજે થઈ ગયા છે.ડાયમંડનો વિસ્તાર થઈ રહ્યો છે.ડ્રિમ સિટી પ્રોજેક્ટ, સુરત ડાયમંડનું હબ બની ગયુ છે.સુરક્ષામાં આંતરિક અને બાહ્ય મહત્વની છે. ગુજરાત અને સુરતના લોકો વેપારીઓની સુરક્ષાનો મુદ્દો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube