Shanker sinh Vaghela News: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાતમાં ક્ષત્રિયોની નારાજગી લોકસભાની ચૂંટણી વખતે સામે આવી હતી. લોકસભાની ચૂંટણી બાદ ક્ષત્રિય સમાજનો નવો મંચ રચાઈ રહ્યો છે. જેમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો પણ હાથ હોવાનું માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવાર (84)ની જેમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ઉંમરે ફરી રાજકારણમાં સક્રિય થશે? આ પ્રશ્ન ગુજરાતમાં આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે રાજ્યમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થયો હતો, પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી. આવી સ્થિતિમાં એક નવા પ્લેટફોર્મની રચનાને સમાજને સંગઠિત કરવાની તૈયારી સાથે જોડવામાં આવી રહી છે. આ મંચનું નેતૃત્વ ભાવનગરના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના વડા વિજયરાજસિંહ ગોહિલને સોંપાયું છે. આ પ્લેટફોર્મમાં વાઘેલાની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. શંકરસિંહ વાઘેલા થોડા દિવસ પહેલાં અખિલેશ યાદવને પણ મળ્યા હતા અને ગુજરાતમાં અમિત શાહને પણ મળ્યા છે. વાઘેલાની ઉઠક પટક હવે ચર્ચામાં છે. ગુજરાતના રાજકારણમાં એ ચર્ચા છે કે શંકરસિંહ હવે આ ઉંમરે કયો જુગાડ ખેલી રહ્યાં છે. 


હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર


20મી સપ્ટેમ્બરે શક્તિ પ્રદર્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ ક્ષત્રિય શક્તિ સમુદાય વિશે ચિંતન, વિચાર અને મંથન કરશે. 20મી સપ્ટેમ્બરે એટલે આજે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં શક્તિ મહાસંમેલનના નામે એક મોટો પાવર શો યોજાયો છે. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની વિધિવત જાહેરાત કરાઈ છે.  ક્ષત્રિય સમુદાયનું માનવું છે કે દેશની એકતા અને અખંડિતતા માટે 562 રજવાડાઓએ તેમના રાજ્ય દાનમાં આપ્યા હતા. દેશમાં લોકશાહીની સ્થાપનામાં ક્ષત્રિય સમાજનું મોટું યોગદાન હોવા છતાં આજે પણ તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સહિતના અન્ય ક્ષેત્રોમાં પૂરતી ભાગીદારી ધરાવતા નથી. આ માટે સમાજને એક કરવાની જરૂર છે.



વાઘેલા ફરી સક્રિય થયા છે
ગુજરાતના પૂર્વ સીએમ ક્ષત્રિય સમાજના નવા પ્લેટફોર્મને લઈને સંપૂર્ણ રીતે સક્રિય જણાય છે. વાઘેલાએ બુધવારે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી સમયે શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન હવે સમાપ્ત થઈ ગયું છે. મીડિયાના પ્રશ્ન પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આજની બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ નથી. આ સભામાં સમાજનું કલ્યાણ કેવી રીતે સાધવું જોઈએ? રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વાઘેલા આ વખતે સારથિ એટલે કે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ તરીકે, પ્લેટફોર્મ કેવી રીતે અને કઈ દિશામાં કામ કરવું જોઈએ. તે આ અંગે સલાહ આપશે. ભાજપ સામે બળવો કરીને શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ક્ષત્રિય મંચની રચનાની પ્રક્રિયામાં સક્રિય હોવાના કારણે રાજકારણ ગરમાયું છે.


શું આહિર સમાજને એક કરશે?
શંકરસિંહ વાઘેલા દેશભરના નેતાઓને મળતા રહે છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા ક્ષત્રિય મંચમાં વાઘેલા માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. ગયા મહિને તેઓ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. બંને નેતાઓની તસવીરો પણ સામે આવી હતી. ચર્ચા છે કે અખિલેશ યાદવને સાથે લઈને તેઓ યાદવોને પણ આ પ્લેટફોર્મ સાથે જોડી શકે છે કારણ કે ઉત્તર પ્રદેશમાં યાદવ અને ગુજરાતમાં આહીર સમાજ એક જ છે. હવે જોવાનું એ રહે છે કે નવા પ્લેટફોર્મમાં બાપુ કઈ ભૂમિકામાં જોવા મળશે, પરંતુ 84 વર્ષની ઉંમરે ફરી સક્રિય બનીને રાજકીય વર્તુળોમાં ગરમાવો સર્જાયો છે. ગુજરાતમાં કોંગ્રેસની કમાન ક્ષત્રિય સમાજમાંથી આવતા શક્તિસિંહ ગોહિલના હાથમાં છે. આવી સ્થિતિમાં આ મંચ પરથી શું સ્થિતિ ઊભી થશે? કોંગ્રેસ અને ભાજપ બંને આના પર નજર રાખી રહ્યા છે.