Gujarat Workers Wage Increased : ગુજરાત સરકારે દૈનિક શ્રમિકના વેતનને લઈ મોટી જાહેરાત કરી છે. આનાથી રાજ્યના લગબગ બે કરોડ શ્રમિક મજદૂરોને ફાયદો થશે. ગુજરાત સરકારે રાજ્યમાં શ્રમિકનો લઘુત્તમ મજદૂરી 25 ટકા વધારી તમામ કેટેગરીના શ્રમિકો માટે 546 રૂપિયાથી વધારે કરી દીધી છે. તેનાથી 2 કરોડ શ્રમિકોને લાભ થવાની આશા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી પ્રસાદમાં ભેળસેળના ખુલાસા પછી મોટો નિર્ણય; આ એજન્સીને નવો કોન્ટ્રોકટ મળ્યો


શ્રમિકોના વેતનમાં કેટલો વધારો?
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,  રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન રૂ.૧૧,૪૬૬ થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ. ૧૨,૦૧૨ થશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.


ગુજરાત સરકારે જાહેર કરી રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023, જાણો શું છે તેની વિશેષતા?


મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રમિકોના હિતો અને કલ્યાણને વરેલી રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ-૨૦૨૩માં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં ૨૫ ટકા જેટલો માતબર વધારો કર્યો હતો. હવે, માસિક રૂ. ૫૪૬નું ખાસ ભથ્થુ તેમના વેતનમાં આપવામાં આવશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ઝોન-૧ અને ઝોન-૨ના કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે રૂ.૨૧ આપવામાં આવશે, જે તા.૧લી ઓક્ટોબર ૨૦૨૩થી તા.૩૧મી માર્ચ ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.


ગુજરાતમાં ચોમાસાને વિદાયનો સમય આવી ગયો? આ તારીખ નોંધી લો, હવે વરસાદની કેટલી શક્યતા?


તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરાયો છે, તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.