ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં એક પછી એક લવજેહાદના કિસ્સાઓ સામે આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. લવ જેહાદના ષડયંત્રોને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ઘર ઘર સંપર્ક દરમિયાન લોકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે. નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ,NDRF ટીમો તૈનાત


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લારી પર ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરાની ઘટનામાં મે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકાર ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ હર્ષ સંઘવીએ લોકસભામાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોએ ફરી એકવાર ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે.  


BIG BREAKING: રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાશે ચૂંટણી


હર્ષ સંઘવીનું નિવેદન
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલામાં સરકાર ખુબ ગંભીર છે. જેથી પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે. તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. તેમજ સરકારની બે એજન્સી તપાસ કરી રહી છે. વધુમાં વધુમાં જણાવ્યું કે, દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે અને પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું. 


સોના કરતા પણ મોંઘું છે સુરતની આ રેસીડેન્સીનું પાણી! સ્થાનિકોને આવ્યું લાખોનું બિલ


તમામ હોટલોમાં ચેકિંગ
તેમણે ઉમેર્યું કે, માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં લવજેહાદના કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવી અમે આ બાબતે ખૂબ ગંભીરતા પૂર્વક પગલા ભરવા માટે મક્કમ છીએ. 


આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?