આશ્કા જાની, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) રાજ્યની કોરોના (Coronavirus) સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે રાજ્ય સરકારને 43 પાનાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. આગામી સુનાવણીમાં સરકાર શું કરી રહી છે તેને લઇને સોગંધનામું રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનવંતરી હોસ્પિટલમાં સફાઇ અને હોસ્પિટલમાં કયા પ્રકારની સ્થિતિ હોવી જોઇએ તથા RTPCR ટેસ્ટિંગમાં ભાર મુકવા અને RTPCR ટેસ્ટના યોગ્ય આંકડા આપવા અંગે નિર્દેશ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત નવા 21 RTPCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલો રાત્રિ કરર્ફ્યું પુરતો નથી તેથી કોરોનાની ચેનને તોડવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં ભરે જેને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

દીકરીના જોમ અને જુસ્સાને સો સો સલામ છે: મમ્મી મને હજારો વડીલોના આશીર્વાદ મળ્યા છે મને કશું થવાનું નથી


અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રેમડેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજનની અછત મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ હાઈકોર્ટે Amcનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે Amc ને ટકોર કરીને કહ્યું કે, અન્ય કોર્પોરેશન દ્વારા રિયલ ટાઈમ હોસ્પિટલ બેડનો ડેટા આપવામાં આવે છે. તો શા માટે amc નથી આપતી, Amc શું છુપાવવાનો પ્રયાસ છે?

યુવતીને વીડિયો કોલ કરી નગ્ન થઈ કર્યા બીભત્સ ચેનચાળા, સાયબર સેલે ભણાવ્યો પાઠ


ટેસ્ટીંગ વિશે હાઈકોર્ટની ટકોર
હાઈકોર્ટે ગુજરાત સરકાર (gujarat government) ને ખખડાવતા કહ્યું કે, 21 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરુ કરવાની હતું, તેઓએ હજી સુધી રાજ્ય સરકારની વાત માની કેમ નથી. ત્યારે તેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકારને જવાબ આપ્યો કે, અમે તેઓને એપેડેમિક એક્ટ હેઠલ લઈશું. અમે તેઓને રિકવેસ્ટ કરી રહ્યા છીએ. ત્યારે હાઈકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, રિકવેસ્ટ શા માટે કરો છો, આદેશ કરો અને તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલા ભરો. 


એએમસીનો હાઈકોર્ટે ઉધડો લીધો 
તો હાઈકોર્ટે સાથે જ કહ્યું કે, તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર કોરોનાની સ્થતિ સાંભળવામાં નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરતું. કેમ બાળકો જેવું વર્તન કરો છો. 108 માટે 48 કલાક રાહ જોવી પડે છે. શું પોલિસીમાં ખામી છે. ત્યારે કોર્પોરેશન તરફી વકીલ મિહિર જોશીએ જવાબ આપ્યો કે, પોલિસીમાં ખામી નથી, એમ્બ્યુલન્સ વધારવાની જરૂર છે. 

‘મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’, સ્નેહભર્યા શબ્દો સાંભળી આંખમાંથી સરી જશે આંસુ...


રેમડેસિવિર વિશે હાઈકોર્ટે શું કહ્યું.... 
હાઈકોર્ટે રેમડેસિવિર વિશે કહ્યું કે, રેમડેસિવિર ઈન્જેક્શન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તેની વાત કરો. અમદાવાદ જિલ્લામાં 45% રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચાડવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર અમને વધુ વાઇલ આપે તેવી અમારી રિકવેસ્ટ છે. તેવુ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યુ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આવનારી હિયરિંગમાં છેલ્લા 15 દિવસમાં અને એક મહિનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીનો ચાર્ટ એફીડેવિટ સ્વરૂપે આપો.  


ઓક્સિજન અછત પર સરકારને હાઈકોર્ટનો સવાલ 
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, ગુજરાત સરકાર શા માટે પોતાના ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઉભા નથી કરતી. ઓક્સિજનની અછત વિશે કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે, ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે લોકલ ઉત્પાદકોની મદદ લેવામાં આવશે. 20 જેટલા પ્લાન્ટ છે જેમને પરવાનગી આપી છે કે તેઓ નાઇટ્રોજનમાંથી ઓક્સિજન બનાવી શકે, રાજ્યમાં 32 નવા ઓક્સિજનના પ્લાન્ટ બનાવવાની પ્રોસેસ શરુ થઇ થઇ ગઈ છે. પરંતુ રો મટીરિયલ માટે જે વેદેશી કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે તેમાં સમય લાગે તેમ છે. ફ્રાન્સ, જર્મની, ચાઈના દેશની કંપનીઓ રો-મટીરીયલ પ્રોડક્શન કરે છે. બે થી ત્રણ મહિનામાં એક પ્લાન્ટ શરુ થઇ જાય છે.

વકીલોએ લીધો મોટો નિર્ણય: રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડે 


વેક્સીન માટે પણ હાઈકોર્ટે સરકારની ઝાટકી
હાઇકોર્ટે વેક્સીનને લઈને ગુજરાત સરકારને સવાલ કર્યો કે, સરકાર પાસે હાલમાં પૂરતી માત્રા વેક્સીન છે કે નહીં? ત્યારે કમલ ત્રિવેદીએ તેનો જવાબ આપતા કહ્યુ કે, હાલમાં નથી પણ અમને જથ્થો મળી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube