Gujarat Highcourt આશ્કા જાની/અમદાવાદ : ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાય છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ ટુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો હાઇકોર્ટે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમજ બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી મામલે કડક વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દેની કાર્યવાહી પર હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે. 


આ પણ વાંચો : 


નીતિન પટેલ બાદ આરોગ્ય મંત્રી ખાનગી હોસ્પિટલ પહોચ્યા, ઋષિકેશ પટેલે અહીં કરાવી સર્જરી


કદી વિચાર્યું નહિ હોય તેવું વ્યંજન સુરતીએ બનાવ્યું, આઈસ્ક્રીમ પાણીપુરી બનાવી નાંખી


બે અપક્ષો ભાજપમાં સામેલ થવા પાટીલને બંગલે મળ્યા, ઘસી રહ્યાં છે પગથિયાં


હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું. સાથે જ કહ્યું કે, ઘાતક દોરીના કારણે નાગરિકો નું મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહિ. ત્યારે આ મામલે હાઈકોર્ટે 2 દિવસમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસે કડકડતી ઠંડીથી ગુજરાતને મુક્તિ મળશે