ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 891 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.80 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4205 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4187 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,49,659 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,990 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 191 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 58 કેસ અને એકનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશન 40, સુરત કોર્પોરેશન 29, ગાંધીનગર 27, કચ્છ 25, વલસાડ 22, સુરત 18, રાજકોટ 15, પાટણ 14, વડોદરા 14, મહેસાણા 13, નવસારી 12, બનાસકાંઠા 11 એમ કુલ 565 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,89,546 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 996 ને રસીનો પ્રથમ અને 4681 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 434 ને રસીનો પ્રથમ અને 436 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 32041 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2630 ને રસીનો પ્રથમ અને 1550 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 246778 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,98,76,902 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube