Narmada River : નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 392487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


  • નર્મદા ડેમ 132.46 મીટર

  • નર્મદા ડેમ 70 ટકા ભરાયો

  • નર્મદા ડેમમાંથી પાણી ની જાવક 57733 ક્યુસેક થઈ રહી છે


નર્મદામં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. તો નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 


અમદાવાદીઓ માટે મોટી ખબર : ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે 5 ફૂટઓવર બ્રિજ


પાણી છોડાતા કાંઠાના ગામને એલર્ટ કરાયા
વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાથી પાણી છોડવાને લઇ એલર્ટ કરાયા છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં અલર્ટ પર મૂકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે. 


સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.


કોરોના બાદ ચીન લાવ્યું દુનિયા માટે મહાભયંકર ખતરો, ફરી સંકટમાં મૂકાશું આપણે


સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.


ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા
ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પોહચતા દરવાજા ફરી ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60 હજાર 358 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં 45 હજાર 938 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદીના કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા.


આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય પૂજા