ગાંધીનગર: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દેશમાં બીજા ક્રમે છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે ગુજરાતમાં ગત 24 કલાકમાં 374 કેસ નવા નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના 5428 કેસ થઇ ગયા છે. નવા 374 કેસમાંથી અમદાવાદમાં 274, વડોદરા- 25, સુરત-25, મહેસાણા 21, મહીસાગર 10, બનાસકાંઠા 7, ગાંધીનગર-બોટાદ-દ્વારકા 3, પાટણ-દાહોદ-અરવલ્લી 1 કેસ નોંધાયો છે. જ્યારે ગત 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 146 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતિ રવિએ જણાવ્યું હતું કે જ્યારે અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1 દર્દીના મૃત્યુ થતા 28ના દર્દીના મૃત્યુ થયા છે. આ 26 મૃત્યુમાંથી 4 દર્દીના કોરોનાને કારણે અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તેમજ આજે 146 દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છે. કુલ 5428 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 4065ની હાલત સ્થિર છે અને 1042 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે તો અત્યાર સુધી 290 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5428ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

૦૨.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવા નોંધાયેલ કેસોની વિગત


જીલ્લો

કેસ

અમદાવાદ

૨૭૪

વડોદરા

૨૫

સુરત

૨૫

ગાંધીનગર

પાટણ

બનાસકાંઠા

મહેસાણા

૨૧

બોટાદ

દાહોદ

અરવલ્લી

મહીસાગર

૧૦

દેવભૂમિદ્વારકા

કુલ

૩૭૪


 

ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. 



ગઈકાલે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. 


ક્રમ

જીલ્લો

કેસ

મૃત્યુ

ડીસ્ચાર્જ

અમદાવાદ

૩૮૧૭

૨૦૮

૫૩૩

વડોદરા

૩૫૦

૨૫

૧૪૬

સુરત

૬૮૬

૩૦

૧૫૬

રાજકોટ

૫૮

૧૮

ભાવનગર

૫૩

૨૧

આણંદ

૭૪

૩૪

ભરૂચ

૨૭

૨૧

ગાંધીનગર

૭૦

૧૪

પાટણ

૨૨

૧૨

૧૦

પંચમહાલ

૩૮

૧૧

બનાસકાંઠા

૩૬

૧૪

૧૨

નર્મદા

૧૨

૧૦

૧૩

છોટા ઉદેપુર

૧૪

૧૦

૧૪

કચ્છ

૧૫

મહેસાણા

૩૨

૧૬

બોટાદ

૩૦

૧૭

પોરબંદર

૧૮

દાહોદ

૧૯

ગીર-સોમનાથ

૨૦

ખેડા

૨૧

જામનગર

૨૨

મોરબી

૨૩

સાબરકાંઠા

૨૪

અરવલ્લી

૨૦

૨૫

મહીસાગર

૩૩

૨૬

તાપી

૨૭

વલસાડ

૨૮

નવસારી

૨૯

ડાંગ

૩૦

સુરેન્દ્રનગર

૩૧

દેવભૂમિ દ્વારકા

કુલ

૫૪૨૮

૨૯૦

૧૦૪૨