ઝી બ્યૂરો, અમદાવાદઃ કોંગ્રેસના પ્રભુત્વવાળી ઝાલોદ બેઠકને જીતવા માટે ભાજપ અને આપની નજર છે. આ બેઠક પર અત્યાર સુધી એક જ વખત ભાજપ આવ્યું છે. 1962થી 2017 સુધીમાં માત્ર એક વખત 2002માં કટાકા ભુરાભાઈ ભાજપમાંથી જીત્યા હતા. કોંગ્રેસની મજબૂત પકડવાળી બેઠક પર આપની પણ નજર છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ પણ મેદાન એ જંગમાં શામેલ હોવાથી મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. અને ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે વધુ મહેનત કરવી પડશે. આપ પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આપ ધીરે ધીરે એન્ટ્રી કરી રહી છે. અને ટૂંક જ સમયમાં ગુજરાતના છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાલોદ બેઠક પર મતદાર અને ઉમેદવારોનું ગણીત-
ઝાલોદ બેઠક પર કુલ 261,591 મતદારો નોંધાયા છે. જેમાં 131845 પુરુષ મતદાર, 129739 મહિલા મતદાર અને અન્ય 7 મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવે છે, દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે દેવગઢબારીયાની બેઠક બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે.  


વર્ષ            વિજેતા ઉમેદવાર                       પક્ષ
2017 કટારા ભાવેશભાઈ બાબુભાઈ               કોંગ્રેસ
2012 ગરાસીયા મિતેષભાઈ કાળાભાઈ           કોંગ્રેસ
2007 દિતાભાઈ ભીમભાઈ મછાર                  કોંગ્રેસ
2002 કટારા ભુરાભાઈ જેતાભાઈ                   ભાજપ
1998 મચ્છર દિતાભાઈ ભીમાભાઈ                કોંગ્રેસ
1995 મચ્છર દિતાભાઈ ભીમાભાઈ                કોંગ્રેસ
1990 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1985 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1980 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1975 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1972 મુનિયા વિરજીભાઈ લીંબાભાઈ             કોંગ્રેસ
1967 એચ.એલ. નિનામા                             કોંગ્રેસ
1962 ટીતાભાઈ મેઘાજીભાઈ હઠીલા             કોંગ્રેસ


ઝાલોદ બેઠક પર વિવાદ-
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોએ રનીંગ ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાનો સામુહિક રીતે વિરોધ કર્યો હતો. મિતેષ ગરાસિયાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામો નથી કર્યા તેમજ સંકલનમાં રહેતા ન હોવાનો આક્ષેપ કરતાં વિવાદ ઉભો થયો હતો. આ વિવાદથી મિતેશભાઈને ટિકિટ ન મળીને કટારા ભાવેશને ટિકિટ મળી હતી. બીજો વિવાદ હિરન પટેલની હત્યાનો છે ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પૂછપરછમાં પૂર્વ સાંસદ બાબુ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબીએ અમિત કટારાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું હતું. આ બધા વિવાદના કારણે કોંગ્રેસને આવખતની ચૂંટણીમાં વધુ મહેનત કરવી પડી શકે છે અને કોંગ્રસના આ નબળા પાસાઓનો ફાયદો મળે તે માટે ભાજપ એડિચોટીનું જોર લગાવી રહી છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube