અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરના જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુ પકડવા કડક કાર્યવાહી કરવાના મ્યુનિસિપલ તંત્રને હાઈકોર્ટ તરફથી આપવામા આવેલા આદેશની કોઈ અસર જોવા મળતી નથી. સ્માર્ટ સીટીનો દરજજો ધરાવતા અમદાવાદના નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ બની ગયા છે.રોડ ઉપર રખડતા પશુઓની અડફેટે આવતા પશુઓના કારણે લોકોના મોત થઈ રહયા છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના અધિકારીઓ કે સત્તાધીશો તમાશો જોઈ રહયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાંની 6794 અને રખડતા ઢોરની 3231 ફરિયાદ મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગને મળી છે. બીજી તરફ વર્ષ-2022 ના એક વર્ષમાં શહેરના 59513 લોકોને વિવિધ પ્રાણીઓ કરડયા હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલુ છે. અમદાવાદ શહેરના સાત ઝોનના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રોડ ઉપર રખડતા પશુઓને ત્રણ શિફટમાં એકવીસ ટીમની મદદથી પકડવામા આવી રહયા હોવાના મ્યુનિસિપલ તંત્રના દાવાની વચ્ચે રખડતા કૂતરા પકડવાની કામગીરી જે સંસ્થાઓને સોંપવામા આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે. તંત્રને રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા ઉપર નજર દોડાવવામા આવે તો એપ્રિલ મહિનામા 460, મે મહિનામા 440,જુન મહિનામા 516 ફરિયાદો વિવિધ વિસ્તારમાંથી મળી હતી.


જૂલાઈ મહિનામા 533, ઓગસ્ટમા 476 અને સપ્ટેમ્બરમા 539 ફરિયાદ તંત્રને મળી હતી.ઓકટોબરમા 395, નવેમ્બરમા 492 તેમજ ડીસેમ્બર મહિનામા અત્યાર સુધીમા 235 ફરિયાદ મળી છે. જ્યારે જાન્યુઆરીમાં 1142 અને ફેબ્રુઆરી ના અંત સુધીમાં 1059 ફરીયાદ મળી છે. શહેરીજનોને રખડતા કૂતરાની સાથે રસ્તા ઉપર રખડતા પશુઓથી પણ ડર લાગે છે. એપ્રિલ મહિનામા રસ્તા ઉપર રખડતા પશુઓને લઈ 168, મે મહિનામા 150,જુન મહિનામા 177,જૂલાઈમા 543 ફરિયાદ મળવા પામી હતી.ઓગસ્ટ મહિનામા સૌથી વધુ 887 ફરિયાદ રોડ ઉપર રખડતા પશુને લઈ મળવા પામી હતી. સપ્ટેમ્બરમા 355, ઓકટોબરમા 198, નવેમ્બરમા 223 તેમજ ડીસેમ્બર મહિનામા અત્યાર સુધીમા રોડ ઉપર રખડતા પશુને લઈ 184 ફરિયાદ મળી છે.


શહેરમાં પાંચ વર્ષમા વિવિધ પ્રાણી કરડવાના કયા વર્ષમા કેટલા બનાવ:


વર્ષ    કૂતરા        બિલાડી વાંદરા  અન્ય


2018 60241       710     256    161


2019  65881       1237  379   259


2020 51244        663   229  182


2021 23362        305   81   77


2022 47176       751  205   206


દસ વર્ષમાં કેટલા કૂતરાનું ખસીકરણ કરાયું?


વર્ષ           ખસીકરણની સંખ્યા


2012         24742


2013         26358


2014         30573


2015         39333


2016         33265


2017         31381


2018         14058


2019         36563


2020         21502


2021         30360


2022        31380


2023        41514


જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામા અનુક્રમે 185-161 ફરીયાદ મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગને એપ્રિલ-2022 થી ફેબુ્રઆરી-2023 સુધીના સમયમાં શહેરના 48 વોર્ડમાંથી રખડતા કૂતરાં અંગેની 6248 અને રખડતા પશુઓની 3150 ફરિયાદ મળી છે. આ સમયમાં કુલ 16940 રખડતા પશુ પકડવામાં આવતા પશુ માલિકોએ 1736 પશુ છોડાવ્યા છે.કુલ 9057 પશુ પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે. 39782 કૂતરાંનુ ખસીકરણ સંસ્થાઓ પાસે કરાવવામાં આવ્યુ છે.દંડ પેટે કુલ 9060048 રુપિયા વસૂલવામાં આવ્યા છે. 782 કેસમાં એફ.આઈ.આર. અને 2690 કેસમાં મ્યુનિ.તંત્ર તરફથી  પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ દાખલ કરાવવામાં આવી છે.