ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ઉમરેઠ વિધાનસભાની વાત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠક છે જે માત્ર 3 પરિવારોની સાથે વસ્યું હતું. આ ગામ આજે તાલુકાનું મુખ્ય ગામ છે.ગામની ચારેબાજુ એક કિલ્લો, ચારે દિશામાં દરવાજા, દરેક દિશામાં ખૂબસૂરત તળાવ છે. હર્યા-ભર્યા જંગલોથી ભરેલા આ શહેરોને સમૃદ્ધિનું દ્વાર પણ કહેવામાં આવે છે. ગામની ચારેબાજુ ચાર ખૂબસૂરત સરોવર માલવ તળાવ, પિપળીયા તળાવ, રામ તળાવ અને વડુ સરોવર જે ગામની સુંદરતાને વધારે છે. 


ઉમરેઠ બેઠક વિશે જાણો:
ઉમરેઠ આણંદ જિલ્લાનો તાલુકો છે અને તે રાજ્યના ચરોત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો છે. સાડીઓની દુકાનોથી પ્રચલિત ઉમરેઠને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મમરા અને પૌઆની બહોળી માત્રામાં ફેક્ટરીઓ આવેલી છે. ઉમરેઠમાં મૂળેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે. ઉપરાંત વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે તથા સંતરામ મંદિર, ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. 


ઉમરેઠ બેઠકનું રાજકીય સમીકરણ: 
ઉમરેઠ વિધાનસભામાં અત્યારસુધી 13 વખત અને સારસા વિધાનસભામાં 9 વખત ચૂંટણી યોજાઈ છે. વર્ષ 2012માં નવા સીમાંકન પછી સારસા વિધાનસભાનો ઉમરેઠમાં વિલય કરી દેવામાં આવ્યો. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની આ બેઠક પર ક્ષત્રિય-ઓબીસી મતદારોનો દબદબો છે. જેના કારણે ક્રમશ 1962,1967 અને 1972માં ઉમેદવાર અને આણંદ જિલ્લાના વર્તમાન રાજ્યસભા સાંસદ લાલ સિંહ વિજેતા બન્યા હતા.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube