ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમને ઘર બાંધવા માટે આપે છે. તમારે પોતાનું ઘર નથી અને ઘર બનાવવા ઇચ્છો છો અને સરકારી યોજનામાં લાભ લેવા માગતા નથી તો તમારો પોતાનો પ્લોટ હોય તો સરકારી લાભ લઈને તમે મકાન બનાવી શકો છો. આ પીએમ આવાસ યોજનાથી એક અલગ યોજના છે. પીએમ આવાસ યોજનામાં સરકાર તૈયાર ઘરને ડ્રો કરી જરૂરિયાત મંદોને આપે છે. અહીં સરકાર તમને સહાય કરે છે પણ એ બાબતે તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનુ હોય છે. જો તમે પણ આર્થિક રીતે પછાત હો તો આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છે. ઘર એ દરેકનું સપનું હોય છે પણ તેને પૂર્ણ કરવું અઘરું છે. અમે અહીં પીએમ આવાસ યોજનાની વાત નથી કરી રહ્યાં પણ આ સરકારી યોજનામાં સરકાર તમને ઘર બાંધવા માટે રૂપિયા આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે તમારી માલિકીનો પ્લોટ ઘરાવો છો તો તમારા માટે આ સારા સમાચાર છે. તમને ઘર બાંધવામાં પૈસાની તંગી અનુભવાય છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે જો તમે કેટલીક શરતો પૂરી કરો તો તમને ગુજરાત સરકાર એક લાખ અને વીસ હજાર રૂપિયા સહાય ઘર બાંધવા માટે આપે છે. 


યોજનાની વિગત-
આવાસ યોજનામાં રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય


યોજનાની પાત્રતા-
• વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-.
• વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-.
• પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ


સહાયનું ધોરણ-
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે. આ મકાનનું બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે. તમારે આ સહાયનો લાભ લઈને 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની હોય છે. 


કયા કયા ડોક્યુમેંટ જોઈશે?
અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)


આવકનો દાખલો-


  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)

  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )

  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર

  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી

  • BPLનો દાખલો

  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.

  • પાસબુક / કેન્સલ ચેક

  • અરજદારના ફોટો