બ્રિજેશ દોશી/ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી સમગ્ર તંત્રને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. સોમવારે બકરી ઈદ આવી રહી છે. ત્યાર પછી આગામી 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન બંને એકસાથે આવી રહ્યા છે. આથી, સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર વોચ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.  


ગુજરાતના એક બિલ્ડરે પીએમ મોદીને લખ્યો પત્રઃ 'કાશ્મીરમાં જમીન ખરીદવી છે'


તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્યમાં દરિયાઈ વિસ્તારોમાંથી આતંકવાદી હુમલો થવાની પણ સંભાવના છે. આથી, સમુદ્ર અને સરહદી વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. 


કેન્દ્રીય ગૃહ વિભાગે આપેલી ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થાને લઈને આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....