બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર થશે જ્યારે ફોર્મ ભરાવની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે.  5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે. જો કે રાજ્યસભાની આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં ધારાસભ્યો બે વાર મત આપી શકશે. બે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી જ છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે\


વધુ વિગતો માટે જુઓ VIDEO


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...