Ambalal Patel Prediction : વાવાઝોડાને કારણે ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામ સુધી સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતીઓને ગરમીમાંથી મુક્તિ મળી. પરંતુ જો તમે ચોમાસાની આશા લગાવીને બેઠા છો તો હાલ તમને નિરાશા મળશે. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ નથી. અમદાવાદમાં આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ ગુજરાતમાં વિવિધવ રીતે ચોમાસું બેસ્યુ નથી. અત્યાર સુધી જે વરસાદ હતો તે વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે હવે ચોમાસા માટે હજી રાહ જોઈને બેસવી પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવે તેની શક્યતા છે. આ કારણે આગામી 4-5 દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 


અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત


તો સાથે જ હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરીથી 38 ડિગ્રી સુધી જઈશકે છે. જો અમદાવાદમાં વરસાદની આશાએ બેસ્યા છો તો હવે આગામી સપ્તાહે જ વરસાદ આવશે.


જોકે, અમદાવાદમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો ક્યાંક છુટાછવાયા ઝાપટા પડી શકે છે. રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 85 ટકા અને સાંજે 55 ટકા હતું. 


રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs


રથયાત્રા પહેલા મામાના ઘરેથી આવેલા ભગવાન માટે તૈયાર કરાયો આ ખાસ મેનુ