Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી આગાહી આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાનની આગાહી છે. આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ આવી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડી શકે છે. 


થાઈલેન્ડની રંગીન ગલીઓમાં થાય છે આવું બધું, કોની પાછળ ગુજરાતી પુરુષો લટુડાપટુડા કરે છ


આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 


વરસાદ સાથે ઠંડી આવશે 
સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 


રાતના અંધારામાં નવસારીના ખેડૂતો કરી રહ્યા છે આ કામ, સરકાર પણ નથી કરી રહી મદદ


અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.