Ambalal Patel Prediction : આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાવાનું છે. જેથી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. કચ્છ અને દ્વારકામાં વાવાઝોડાની વધુ અસર થવાની શક્યતા છે. કચ્છમાં જોખમ વધતા દરિયાકિનારાથી 0થી 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 હજાર લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો NDRF અને SDRFની વધુ ટીમોને ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું
બિપરજોય ચક્રવાતને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠા માટે હવે ઓરેન્જના બદલે રેડ એલર્ટ મૂકી દેવાયું છે. હવામાન વિભાગે કહ્યું કે, બિપોરજોય હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ જખૌથી 280 કિમિ દૂર, દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમિ દૂર, તો પોરબંદરથી 350 કિમિ દૂર છે. 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આજે દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ આવી શકે છે. 


વાવાઝોડામાં દ્વારકા મંદિરની બંને ધજા ખંડિત થઈ, ભક્તો નિરાશ થયા


આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે


વાવાઝોડાએ ચોથી વાર દિશા બદલી, દરિયામાં કેમ આઘુપાછું થઈ રહ્યું છે બિપોરજોય, જાણો