Ambalal Patel Prediction : ભયંકર વાવાઝોડું ગુજરાત તરફ 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ધસી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડાને કારણે દ્વારકા બંદરે સૌથી ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 10 નંબરનું સિગ્નલ એટે અતિભયજનક સિગ્લન. 10 નંબરના સિગ્નલને કારણે આખું કંડલા બંદર ખાલી કરી દેવાયું છે. તો બીજી બાજુ, ઓખા બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તો નવલખી, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક બંદરે હજી પણ 9 નંબરના સિગ્નલ થયાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંડલા બંદર આખુ ખાલી કરાવાયું
કચ્છના કંડલા બંદર પર અતિભયજનક 10 નંબરનં સિગ્નલ લાગ્યું છે. કંડલા બંદર ઉપર 10 નંબરનુ સિગ્નલ લાગતા જ ડરનો માહોલ પેદા થયો છે. બંદર પર હાલ અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનાથી કંડલા બંદરનું સિગ્નલ સ્ટેશન સતર્ક થઈ ગયું છે. કંડલામાથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી બોલેરો બસમા લેબર અને સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પ્રસાશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું. કંડલા સિગ્નલ સ્ટેશનના હાર્બર માસ્ટર એલ આર મીનાએ આ સિગ્નલ અંગે જણાવ્યું કે, કંડલા બંદરનું સિગ્નલ સ્ટેશન સતર્ક બન્યું છે. અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


અંબાલાલ પટેલની ભયંકર આગાહી : વાવાઝોડાને હળવાશથી ન લેતા


શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ


હવામાન વિભાગના લેટેસ્ટ અહેવાલ અનુસાર, બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું "બિપરજોય" આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત ચેતવણી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર આવેલ અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દક્ષિણ -દક્ષિણપશ્ચિમમાં દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 360 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં દૂર છે. તો જખૌ પોર્ટથી 440 કિમી દૂર છે. નલિયાથી 440 કિમી દક્ષિણ -દક્ષિણપશ્ચિમમાં દૂર છે. અને કરાચીની દક્ષિણે 620 કિમી દૂર છે. આમાં મુંબઇ વિસ્તાર બુલેટિનમાંથી કાઢવામાં આવ્યો અને જખૌ પોર્ટ વિસ્તાર ઉમેરાયો છે. 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે છે. 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ પોર્ટને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે અને મહત્તમ સતત પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. 125-135 kmph ની ઝડપ થી 150 kmph ઝડપથી પવન ફૂંકાશે. કચ્છ અને સૌરાષ્ટ્ર કોસ્ટ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 



બીપોરજોય વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મીટીંગોનો દોર શરૂ થયો છે. ચીફ સેક્રેટરીએ યોજેલી મિટિંગમાં હવામાન વિભાગના અધિકારી પણ જોડાયા છે. ચીફ સેક્રેટરી ની મિટિંગમાં વિવિધ વિભાગના અધિકારીઓને જોડવામાં આવ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈને માહિતી મેળવવામાં આવી રહી છે. તેમજ સવારે હવામાનના ડીજીની પીએમ સાથે પણ બેઠક થઈ હતી. પીએમ પણ વાવાઝોડાને લઈને સીધી માહિતી મેળવી રહ્યા છે.