Dang News : જંગલમાં રહેતા આદિવાસી સમાજ પર ટિપ્પણી કરતા લોક કલાકાર રાજભા ગઢવીને હવે પોતાની ભૂલનું ભાન થયું છે. રાજભા ગઢવીએ વિવાદ અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર દિલગીરી વ્યકત કરી. તેમણે સમાજની લાગણી દુભવ્યાને કારણે માફી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજભા ગઢવી વનબંધુઓ આદિવાસીઓ ભાઈઓ અને સમાજની સામે વીડિયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું કે, હું આદિવાસી સમાજની વિરુદ્ધમાં નથી બોલ્યો, કોઈ ભૂતકાળની ઘટનાને લઈને એક પ્રાંત વિશે વાત કરી છે. લોક સાહિત્યકાર તરીકે આદિવાસી સમાજની અનેક અજાણી અદભુત વાતો લોકસાહિત્ય મારફતે બહાર લાવવામાં નિમિત્ત બન્યો છું. હું પણ ગીરનો વનબંધુ છું. હું કેવી રીતે ડાંગના વનબંધુનું ખરાબ બોલી શકું. આમ છતાં કોઈ પણ આદિવાસી કે ડાંગ વિસ્તારના લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.


સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા PM મોદી, દિવાળી પર આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ