નચિકેત મહેતા/નડિયાદ: આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુના બની રહ્યા છે, ત્યારે નડિયાદની એક સગીરા સાથે પીપલગ ગામના વિધર્મી યુવાન દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન


15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી તેને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક આમિર વ્હોરા દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે મામલે આરોપી આમિર વ્હોરા વિરુદ્ધ નડીયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ગુજરાતના સ્કૂલના બાળકોની બસને રાજસ્થાનમાં અકસ્માત, 2નાં મોત, ડઝન બાળકો ઈજાગ્રસ્ત


વિધર્મી યુવાનો દ્વારા અવારનવાર સગીર વયની યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાયો છે. નડિયાદ શહેરમાં પોતાના મામાના ઘરે રહી અભ્યાસ કરતી એક સગીર વયની દીકરીને પીપલગ ગામના વિધર્મી યુવાન આમિર વ્હોરા દ્વારા સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. 


ઓ બાપ રે…કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ફેંકી, કૂતરાના ઝુંડે ચુંથી ખાધી, પછી


જે બાદ તેણીને લગ્નની લાલચ આપી અવારનવાર તેણી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે મામલે સગીરાના મામા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદને પગલે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી આમિર વ્હોરાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.