સુરતઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓ ગુરુવારથી સાતમા પગારપંચની માગણી સાથે હડતાળ પર ઉતરેલા છે. આજે શુક્રવારે પાટિદાર નેતા હાર્દિક પટેલ સુરત ખાતે હડતાળ પર ઉતરેલા એસટીના કર્મચારીઓને મળવા પહોંચ્યો હતો અને તેમની સાથે તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, સરકાર એસટીનું ખાનગીકરણ કરવા માગે છે અને તેના કારણે જ તેના બહેરાકાને એસટીના કર્મચારીઓનો અવાજ પહોંચતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે સુરતમાં જણાવ્યું કે, શુક્રવારે ગાંધીનગરમાં શિક્ષકો જ્યારે વિધાનસભામાં ઘેરાવ કરવા ગયા, રજૂઆત કરવા ગયા ત્યારે તેમને માર્ગમાં જ અટકાવી દેવાયા હતા. પોતાના હકની માગણી કરતા શિક્ષકો પર સરકાર દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. 


સરકાર સાથે બંધબારણે મીટિંગ બાદ શિક્ષકોની હડતાળ સમેટાઈ


હાર્દિકે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, "આ સરકાર માત્ર મજૂરો, ખેડૂતો અને જે પીડિત વર્ગ છે તેના વિરુદ્ધમાં કામ કરતી સરકાર છે. છેલ્લા અનેક વર્ષથી એસટીની ડ્રાઈવર-કન્ડક્ટરની ભરતીમાં ગોટાળા થયા છે. કર્મચારીઓ રજૂઆત કરવા ગયા તો તેમણે સાંભળી ન હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એસટી નિગમનું ખાનગીકરણ કરી દેવાયું છે. એ જ રીતે ગુજરાત સરકાર પણ એસટી નિગમનું ખાનગીકરણ કરવાના કાવતરા કરી રહી છે." 


હાર્દિકે વધુમાં જણાવ્યું કે, આજે જે રીતે લોકો પાસે ખાનગી માલિકીના વાહનોમાં વધારો થયો છે તેના કારણે આ સરકાર ઈચ્છી રહી છે કે, એસટી નિગમ સંપૂર્ણપણે બંધ થઈ જાય. સરકારને ખાનગીકરણ કરવાની ફરજ પડે અને પછી તેમના જ મળતિયાઓના વાહનો દોડાવીને કમાણી કરી શકે. 


સરકારી નોકરી માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઇબીસી ઉમેદવારોને આપી ઉંમરમાં છૂટ


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...