ઝી ન્યૂઝ/વડોદરા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં દિનપ્રતિદિન લાખો પ્રવાસીઓ હરવા ફરવા માટે આવી રહ્યા છે. સરકારની પણ અનેક બેઠકો અને શિબિરો આ સ્થળે થાય છે. ત્યારે આગામી 5, 6 અને 7 મેના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર ખાતે દેશભરના આરોગ્ય મંત્રીઓની એક શિબિર યોજાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉપક્રમે યોજાનારી આ શિબિરમાં તમામ રાજ્યો અને કેન્દ્રી શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓ હાજર રહેશે. સાથે જ તમામ આરોગ્ય સચિવ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. આ શિબિરના આયોજનની તૈયારીના ભાગરૂપે એક બેઠક યોજાઈ હતી. જેમાં તૈયારીઓને લઈ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડાયરેક્ટર ડૉક્ટર નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મહારાષ્ટ્રના લોકો ગાડીની ટાંકીઓ ફૂલ કરાવવા કેમ ગુજરાતમાં દોડ્યા! આ જગ્યાએ પેટ્રોલપંપ પર કતારો


આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેવડિયા ખાતે દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવોની સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે. કેન્દ્રિય ટીમ દ્વારા પૂર્વ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા. 5, 6, 7 મે, 2022 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14 મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022 નું આયોજન કરવામાં આવ્યું છે. 


એક મહિનામાં AMTS- BRTSમાં મુસાફરોની સંખ્યામાં વધારો, પણ શું લોકોને મળી રહી છે સારી સુવિધા? જાણો નીતિ આયોગનો રિપોર્ટ


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવઓ, અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો અને આરોગ્ય કમિશનરો તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરો ભાગ લેનાર છે. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય - નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-2 ખાતે બેઠક યોજવામાં આવી હતી.


શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે? આજે પિતાની પુણ્યતિથિએ કરશે 'શક્તિ પ્રદર્શન', રાજકીય હરીફોને આપ્યું આમંત્રણ


આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર સુશ્રી રેમ્યા મોહન, એસ.એમ.વી.એસ.એમ.ના મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, એન.એચ.એસ.આર.સી.ના સીનિ. કન્સલ્ટન્ટ શ્રી પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, સુશ્રી દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube