Monsoon 2024 Prediction : આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની હવામાનની આગાહી છે. તો આવતી કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે. આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમન દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, મહીસાગર, અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ, આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. સાથે જ આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ સાથે જ આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ આગમન થતા લોકોમા ખુશીનો માહોલ છે. આજે સવારથી પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ આવતા ઠંડક અનુભવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી


9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી


પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલ


10 જૂન દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ, ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,અમદાવાદ,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી


11 જુન અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ, ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી


12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી


ન્યૂયોર્કની ગલીમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, આ જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે


અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.


Youtube પરથી હટાવી દેવાયું આ ફેમસ ગીત, ભારતમાં બની હતી ઢગલાબંધ રીલ્સ