ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના આંકડા કાબુમાં છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,221 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની કુલ 85,733 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ હાલ કોરોનાના 93 કેસ એક્ટિવ છે. જો કે રાહતના સમાચાર છે કે, એક પણ નાગરિક વેન્ટીલેટર પર નથી. 93 નાગરિકો સ્ટેબલ છે. 12,13,221 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 9 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા 1 એમ કુલ 12 કેસ નોંધાયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube