• 1932માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું થયું હતું ઉડાન

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આજે 89 વર્ષ બાદ ભુજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ઉડાવી ફ્લાઇટ

  • એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ઉડાવી ફ્લાઇટ


રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત 1932માં જેઆરડી ટાટા (JRD Tata) દ્વારા ભારતની જે પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરી હતી. આજે ભુજથી મુંબઇ વચ્ચે ફ્લાઇટ ઉડાવીને ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ હતું. આજે ઐતહાસિક ઉડાનનું પુનરાવર્તન કરાયું. 1932 માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું ઉડાન થયું હતું. આજે 89 વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત (Aarohi Pandit) ફ્લાઇટની ઉડાન ભરી હતી. એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ફ્લાઇટ ઉડાવી હતી.


ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટા 15 ઓક્ટોબર 1932 ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસ ની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટમાં સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું. આજે આરોહી પંડિત ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છ (Kutch) ના માધાપર ગામની મહિલાઓએ 72 કલાકમાં પુન નિર્માણ કરેલ ભૂજ રનવે પરથી ઉડ્ડયન કર્યું હતું. આ દરમિયાન આરોહી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવા લેન્ડ થશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલ ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.


આ પણ વાંચો : 70 ની ઉંમરે વૃદ્ધ મહિલાનો ખોળો ભરાયો, ટેસ્ટટ્યૂબથી બાળકને આપ્યો જન્મ


આરોહીના હસ્તે આજે માધાપરની એ વીરાંગનાઓ (Bhuj The Pride of India) નું પણ સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું કે, જેઓએ ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધ વખતે બોમ્બમારાથી જે રન-વે ને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને આ વિરાંગનાઓ દ્વારા ફરીથી માત્ર 72 કલાકની અંદર બનાવવામાં આવ્યું હતું.



2019માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. ઉલ્લેખનીય છે કે 2019માં બોરીવલીની યુવા women આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતા. આરોહી પંડિત 1932ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.


આ પણ વાંચો : પીએમ મોદીએ ગુજરાતના નવા મુખ્યમંત્રીના ભરપેટ વખાણ કર્યાં, કહ્યું-તેમના ખાતામાં કોઈ વિવાદ નથી 


આ ફ્લાઈટમાં આરોહી પંડિત આશરે 500 નોટિકલ માઈલનું અંતર કાપવા આશરે પાંચ કલાકના ઉડ્ડયન માટે 60 લિટર પેટ્રોલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આરોહી પંડિત કોઈ જીપીએસ, ઓટો પાઈલટ કે કમ્પ્યૂટર આધારિત ઇક્વિપમેન્ટનો પણ ઉપયોગ કરશે નહિ. આરોહી પંડિતે આ વિશે કહ્યુ હતું કે, હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું કે આ ઐતહાસિક ઘટનાનું પુનરાવર્તન મને કરવાની તક મળી છે.



આ ઐતિહાસિક ઘટનાને પુનરાવર્તિત કરવા જતાં આરોહી પંડિતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "મારું સૌભાગ્ય છે કે 1932માં જે ઉડાન જેઆરડી ટાટાએ કરાંચીથી જુહુ ભરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું આ ઉડાન ભરીશ. ભૂજ થી આ ઉડાન શરૂ થશે અને અમદાવાદ ખાતે ઇંધણ ભરવા માટે લેન્ડ કરવામાં આવશે અને ત્યાર બાદ ફાઈનલ સ્ટોપ જુહુ ખાતે થશે. 1971ના યુદ્ધમાં આપણા દેશના એરફોર્સને માધાપરની વીરાંગનાઓએ રનવે બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી હતી અને તેઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ પણ આ ઇવેન્ટમાં જોડાયા છે. ઇન્ડિયન વુમન પાયલટ એસોસિએશન (IWPA) અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ એરટ્રીપને લઈને ભારે ઉત્સાહ છે. મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે. આ સફરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વગર રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. આ વિમાનને હું પ્રેમથી માહી કહું છું અને કચ્છના લોકો તરફથી ખૂબ સારો પ્રેમ મળ્યો અને કચ્છમાં બહુ મજા આવી."