અજય શીલુ/પોરબંદર :પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો, પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1029 વર્ષ પૂર્ણ કરીને 1030માં વર્ષમા પ્રવેશ કર્યો છે. ત્યારે જોઈએ સુદામા અને ગાંધીભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ કેવો છે. 


બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગરે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓથી આગવી ઓળખ કંડારી છે. આ નગર શિલ્પ-સ્થાપત્યોથી સમૃદ્ધ છે. શ્રાવણી પૂર્ણીમાએ પોરબંદરનો સ્થાપનાદિન છે. પ્રાચીન કાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. પોરબંદરનો આજે 1030મો સ્થાપના દિન છે. પોરબંદરને ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે. એવુ પણ મનાય છે કે, ખાડી કાંઠે આવેલ પોરાઈ માતાજીના મંદિર પરથી પોરબંદર
નામ પડ્યુ છે. પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી. એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ હોવાનુ કહેવાય છે. ઈ.સ 1120માં રાણાસંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યાર બાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે.


200 વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનનો ઈતિહાસ બદલાયો હતો, આજે પણ જાળવી છે પરંપરા


જાણીતા ઈતિહાસકાર નરોત્તમ પલાણ પોરબંદરના ઈતિહાસ વિશે જણાવે છે કે, હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનુ કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ કર્યું હતું. તેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ પોરબંદરને પેરિસ જેવુ બનાવવા ઈચ્છતા હતા. જેથી કરીને પોરબંદરના રોડ-રસ્તા, ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે. વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનુ શાસન હતું, ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા. પહેલા હનુમાનજી અને ત્યાર બાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારીયળ અને ચૂંદડી ચડાવી સાગરખેડુઓ દરિયાનું ખેડાણ કરતા હતા. આજે પણ આ પરપંરા
વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે. શહેરમાં એ સમયે એવી પણ એક વિશેષ પરંપરામાં જોવા મળતી હતી કે, સ્થાપના દિવસે રાજ પરિવાર તરફથી સુખડી તૈયાર કરવામાં આવતી હતી. જેને પ્રસાદરુપે તમામ નગરજનોને પીરસાતી હતી. આ દિવસે સુદામા મંદિરમાં વર્ષ દરમિયાન પરણીત વરઘોડીયાઓના હસ્તે હનુમનાજી અને સુદામા મંદિરે પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી.


કચ્છ મેં યે નહિ દેખા તો કુછ નહિ દેખા, ચોમાસામાં જીવંત થયો કચ્છનો નાયગ્રા ફોલ


પોરબંદરની સ્થાપનાને આજે 1029 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભવ્ય ઈતિહાસનો વારસો ધરાવતા અને ઘુઘવતા સાગર કિનારે વસેલા પોરબંદરનો યોગ્ય દિશામાં વિકાસ થાય તેવુ શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે. પરંતુ કમનસીબી એવી છે કે, પોરબંદરના સ્થાપના દિવસ જેવા મહત્વના આ દિવસની ઉજવણી કરવાનુ આ વખતે પોરબંદર નગરપાલિકા જ ભૂલી ગઈ હોય તેમ સ્થાપના દિવસની કોઈ પણ પ્રકારની ઉજવણીનુ આયોજન કરાયુ નથી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :