રાજકોટઃ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ચાર સભ્યોને કોમર્શિયલ વાહન ચાલકે અડફેટે લીધા છે. જેમાં પિતા-પુત્રનું મોત થયું છે, જ્યારે માતા-પુત્રિને ઈજા પહોંચી છે. પરિવારના સભ્યો બાઇક પર સુરાપુરાના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન એક વાહને તેમને અડફેટે લીધા હતા. આ ઘટના રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા ખારચીયા ગામની પાસે બની છે. આજીડેમ પોલીસ દ્વારા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર એક પરિવારના ચાર સભ્યો સુરાપુરાના દર્શન કરી બાઇક પર પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા ખારચીયા ગામ પાસે એક કોમર્શિયલ વાહને બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે માતા-પુત્રીને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજકોટ આજીડેમ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ, માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube