અમદાવાદ : શહેરની કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંન્ને બાઇક સવારોનાં મોત નિપજ્યાં છે. કુલ 5 લોકોના અકસ્માત કરીને ભાગી ગયા હોવાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે થાર ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની સાઉદીની મુલાકાત અને હવે મોરબીમાં ઉગશે સોનાનો સુરજ...


હાલ તો પોલીસ દ્વારા આ અકસ્માતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હીટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. એમ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube