ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરણીતાની સાથે તેના પતિએ નજીવી બાબતમાં ઝગડો કરી માર મારતા ઇજા પહોંચી હતી. જેને લઇ પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિ ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ફાની ચક્રવાતની અસર ગુજરાતમાં, સુરતના વેપારીઓનું કાપડ ટ્રાન્સપોર્ટેશન અટક્યું


અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની પંચાલ નામની પરણીતા તેના પતિ વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેમાં પતિ દ્વારા કરવત વડે માર મારતા પરણીતા ઇજાગ્રસ્ત થઇ હતી. ભોગ બનનાર પરણીતાને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.


વધુમાં વાંચો: જાણો ગુજરાત પોલીસમાં આ એક વર્ષમાં કયા 11 આઈપીએસ અધિકારી થશે નિવૃત્ત


પરણીતા તેમ જ તેના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે પરણીતા ગર્ભવતી છે અને તેને અગાઉ ત્રણ દિકરીઓ છે. હાલમાં જે ગર્ભ છે તે દિકરો જ આવવો જોઈએ તે બાબતે સાસરીયા તેમ જ પતિ તેને માનસિક ત્રાસ આપતા હતા તેમ જ તેને માર માર્યો હતો. જો કે પોલીસએ આ મામલે જણાવ્યું હતુ કે ઘરના અંગત ઝગડામાં આ ઘટના બની છે અને આરોપી પતિની પણ ધરપકડ કરી લેવામા આવી છે.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...