અમદાવાદ : શહેરમાં નજીવી બાબતે ઘરેલુ હિંસાના અનેક બનાવો રોજબરોજ સામે આવે છે. શહેરના વેજલપુર વિસ્તારમાં પત્નીને રસોઇ બનાવવામાં મદદ કરતો પતિ દાઝી ગયો હતો. જો કે પતિએ પત્ની પર આરોપ લગાવ્યો કે, તારા પિતાએ અમારા પર જાદુ ટોણા કર્યા છે. એટલે જ અમે ખુબ પરેશાન થઇ રહ્યા છીએ તેમ કહીને પત્નીને ઘરમાંથી નિકળી જવાનું કહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી કે, પોતે પતિ અને પરિવાર સાથે રહે છે. લગ્નના ત્રણ વર્ષ સુધી તેના પતિ તથા પરિવારના લોકોએ સારી રીતે રાખી જો કે બાદમાં તેનું શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિ પણ દારૂ પીતો હતો. મારઝુડ પણ કરતો હતો. 


જો કે 15 જુલાઇએ મહિલા પોતાના ઘરે રસોઇ બનાવી રહી હતી ત્યારે પતિ અચાનક ઘરે આવ્યો હતો. પોતે રસોઇ બનાવવામાં મદદ કરવા લાગ્યો હતો. ત્યારે અચાનક દાજી ગયો હતો. જેથી તેણે ગુસ્સે થઇ મહિલાને કહ્યું કે, તારા પિતાએ મારા પર જાદુ ટોણા કર્યા છે. જેના કારણે અમે પરેશાન છીએ. તેમ કહીને તેને માર માર્યો હતો અને ઘરેથી નિકળી જવા જણાવ્યું હતું. જેથી કંટાળેલી મહિલાએ પોતાનાં સાસુ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પણ ફરિયાદનાં આધારે તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube