અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર ખાડાઓ પડી જતા અમદાવાદ-આબુરોડ હાઇવે બંધ કરાયો છે. આબુરોડ અને રાજસ્થાન જતા તમામ વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધી 30- 35 કિ.મી લાબું ડાયવર્ઝન અપાયું છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓ કાન ખોલીને સાંભળે...! જાણો હર્ષ સંઘવીનું નિવેદન


ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જવાને કારણે અનેકવાર વાહનો ફસાઈ ચુક્યા છે, તો બેથી ત્રણ વખત ટ્રકો માલ સમાન સાથે પલટી પણ મારી ગઈ છે. જોકે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઇ- વે ઉપર ખાડાઓ પડી જતા અને તેમાં પાણી ભરાઈ જતા હાઇવે બંધ કરાયો છે જેને લઈને પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેટ લગાવી દેવાયા છે અને વાહનોને ડાયવર્ટ કરાઈ રહ્યા છે.


પાટીદાર પરિવારને 1.25 કરોડની સહાય મળે તેના માટે શું છે SPGનો આગામી ધમાકેદાર પ્લાન?


જોકે એક જ મહિનામાં ચોથી વાર હાઇ-વે બંધ કરી દેવાયો છે. જોકે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવતા વારંવાર આ સમસ્યા સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


આ 6 વર્ષીય ટેણીયું બની રહ્યું છે ચર્ચાસ્પદ! રમવાની ઉંમરમાં બોલે છે વૈદિક ABCD- શ્લોક