Rajkot News રાજકોટ : સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડવોર હવે કોઈનાથી છુપુ નથી. બંને અનેકવાર સામસામે આવી ચૂક્યા છે.  પાટીદાર સમાજના બે નેતા વચ્ચે કોલ્ડવોરનો મામલો વધુ ગૂંચવાયો છે. ત્યારે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચેના કોલ્ડવોરને લઈ સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું બંનેને સમજાવીશ
ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી હાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, હુ બન્ને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. વ્યક્તિગત દખલ કરી અને સમાધાનના પ્રયાસ કરીશ. બંને નેતાઓ સમાજના અગ્રણીઓ છે. બન્ને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે. હું બંનેને સમજાવવાના પ્રયાસ કરીશ. 


જાદુઈ ટોટકાઓએ આ ક્રિકેટર્સને બનાવ્યા હતા ફેમસ, અમસ્તા જ ફેમ નથી મળી!


દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, તેઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાની વાત પણ તેમણે કરી હતી.  


જેનો ભય હતો એ જ થયું! ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી