કેતન બગડા/અમરેલી: અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના જાફરાબાદ બંદર પર અત્યાર સુધીમાં વાયુના દબાણને કારણે તંત્ર દ્વારા ભયજનક 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં મોઝાઓના ઉછળવાને કારણે દરિયામાં રહેલો એક જહાજ પાણીના મોજાઓની વચ્ચે ફસાઇ ગયું હતું. અને તેની ઉપર રહેલુ એંકર પણ તૂટી ગયું હતું.


‘વાયુ’ની અસરને કરાણે ભુજ એસ.ટી વિભાગનો નિર્ણય, STના રૂટ 288 બંધ કરાયા



હવાનું પ્રમાણ વધવાથી દરિયો ગાંડો તૂર થયો છે, જેથી દરિયામાં રાખવામાં આવેલી નાવડીઓ અને જહાજો પાણીના પ્રકોપ સામે માછીમારોની નાવડીઓ અને જહાજો દરિયામાં ડૂબી રહ્યા છે. વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે.