ઝી ન્યૂઝ/ ગાંધીનગર: સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પીએસઆઈ અને લોકરક્ષકની સીધી ભરતીમાં હવે ફિઝિકલમાં જેટલા પણ ઉમેદવારો પાસ થશે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા,, ZEE 24 કલાકે આજે દિવસભર આ મુહિમ ચલાવી હતી કે શારીરિક કસોટીમાં પાસ થાય તેટલા ઉમેદવારોમાંથી પણ મેરિટના ધોરણે ઉમેદવારોને શા માટે બોલાવવાની પદ્ધતિ અમલમાં છે. તો આ પદ્ધતિ હવે લાગુ નહીં થાય. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે ઝી 24 કલાકની મુહિમની નોંધ લીધી છે. આ મુદ્દે ઝી 24 કલાક પર અસંખ્ય ઉમેદવારો રજૂઆત કરતા હતા કે આ નિયમ હટવો જોઈએ. 


હસમુખ પટેલે કર્યું ટ્વિટ
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube