ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય તો લઈ લીધો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હાલની મોંધવારીમાં ઘરનું ઘર લેવું મોંઘું બન્યું છે, ત્યારે જે લોકોએ પોતાના મકાન લઈ લીધા છે, પરંતુ દસ્તાવેજ કરવાના બાકી છે આવા કિસ્સામાં જંત્રી બમણી કરવાનો નિર્ણય દરેક લોકોને દઝાડી રહ્યો છે. પરંતુ હાલ રાજ્યમાં નવી જંત્રી અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં IPL મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ, આવી છે હવામાન વિભાગની આગાહી


આગામી 15 એપ્રિલથી અમલમાં આવનારા જંત્રીના નવા દરના મામલે લોકોના ધસારાને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. 15 એપ્રિલ પહેલા આવતી બે જાહેર રજાના દિવસે પણ સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત રહેશે. 7 અને 8 એપ્રિલની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. હાલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, ગાંધીનગર કચેરી દ્વારા આ મહત્વપૂર્ણ આદેશ કરાયો છે.


જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે કે નહિ જેલમા રહેશે, શુક્રવારે લેવાશે નિર્ણય


સામાન્ય રીતે નવી જંત્રીના દરના અમલની સમય મર્યાદા વધારાઈ છે. નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થશે. અગાઉ 4 ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો. હવે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થશે. આમ, નવી જંત્રીના અમલમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક એક દિવસ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.


5 વર્ષ જૂના કેસમાં જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 નિર્દોષ જાહેર, જાણો શુ હતો કેસ


ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજયની જર્મીનો સ્થાવર મિલકતોના જંત્રી (એન્ટ્રયલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં તા.15/04/2023 થી વધારો અમલમાં આવનાર છે. જેથી, તા.15/04/2023 કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.


ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં મોરારી બાપુ ચિંતિત, વ્યાસ પીઠ પરથી આપ્યું મોટું નિવેદન


(૧) તા.15/04/2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.15/04/2023 પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.15/04/2023 પહેલાં (તા.14/04/2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15/04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.


રામ નવમી પર ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, દુર્લભ યોગનો મળશે લાભ


(૨) તા.15/04/2023 પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે. અને તા. 15/04/2023 પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતની તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કીસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકીમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર 300/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.


પૌઆ ખાવાના શોખિન છો? : સરકારે બનાવ્યા નવા નિયમો, જાળવવી પડશે આ ક્વોલિટી


(૩) રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. જેથી તા.04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના રોજ રાજયની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.