રાજકોટ :  શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા એક વ્યક્તિએ પોતાની જ સગી વિધવા બહેન પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ હોવાની કલંકિત ઘટના સામે આવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી ભુપત નાનજીભાઇ ધોળકીયા છેલ્લા સોળ વર્ષથી તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો. બળજબરીપૂર્વક તેના શારીરિક સંબંધ બાંધી ધાકધમકી આપતો હતો. આ સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, કોઇને જાણ કરીશ તો મારી નાખીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ: સી.આર


આ અંગે પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે આ મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 376,506(2),323 અનુસાર ગુનો નોંધીને આ અંગે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કળીયુગમાં એક પછી એક તબક્કાવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જે સમાજ માટે ખુબ જ આંચકાજનક બાબતો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube