પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષે યુવકે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા યુવકે પોતાની માતાને ફોન કરી ખાવાની તકલીફ પડી હોવાનું જણાવી વતનથી સુરત આવવા કીધું હતું. છેલ્લા એક મહિનાથી યુવક બેકાર હતો અને નોકરીની તલાશ કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરતની વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું મશીન બનાવ્યુ


સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામ વતની છે. કાલુ નવ વર્ષનો હતો તે દરમિયાન તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પરિવારમાં ચાર બેન અને માતા છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.  એક મહિનાથી કાલુની નોકરી છૂટી જતા હતાશમાં રહેતો હતો. 



અપડેટ કરવું છે બાળકોનું આધાર કાર્ડ ? અહીં જુઓ સૌથી આસાન રીત, 2 મીનિટમાં જ ઘરબેઠા થશે


ગતરોજ રાત્રે કાલુએ માતાને ફોન કરી જણાવ્યું હતું કે, ખાવાની તકલીફો પડી રહી છે. એક મહિનાથી નોકરી છૂટી ગઈ છે જેથી તમે સુરત આવી જાઓ માતાએ પુત્રને વતન આવી જવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.



ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત? 


કાલુના સંબંધિત સુરેન્દ્ર નાયકએ જણાવ્યું હતું કે મૃતક કાલુની છેલ્લા એક મહિનાથી નોકરી છૂટી ગઈ હતી. તે નોકરીની તલાશ કરતો હતો. ગત રાત્રે તે તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે મને ખાવાની તકલીફો પડી રહી છે. તમે સુરત આવી જાઓ જ્યારે માતાએ જણાવ્યું હતું કે સુરત નહીં આવી શકું તને તકલીફો પડી રહી છે તું આપણા પોતાના વતન આવી જા. માતા સાથે વાત કર્યા બાદ કાલુએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાલુ નોકરીની તલાશમાં રહેતો હતો. તેની પાસે પૈસા ન હોવાથી આર્થિક તકલીફો પડતી હતી. નોકરી ન મળવાથી કાલુએ એ આત્મહત્યા કરી લીધો છે