Dwarka News : અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડને દ્વારકાના માછીમારનો જીવ બચાવ્યો હતો. દ્વારકાથી 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક દુર્ઘટના બની હતી. કોસ્ટગાર્ડે ભારતીય માછીમારી બોટના ખલાસીનો જીવ બચાવ્યો હતો. એડવાન્સ લાઈટ હેલિકૉપ્ટર ધ્રુવની મદદથી ગંભીર ઈજાગ્રસ્ત માછીમારને એરલિફ્ટ કરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે હેલિકોપ્ટર દ્વારા માછીમારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી લગભગ 40 કિમી દૂર દરિયામાં માછીમારને બચાવી લેવાયો હતો. સિદ્ધેશ્વરી નામની બોટનો મનુ આલા મકવાણા નામના 50 વર્ષીય ખલાસી સાથે આ દુર્ઘટના બની હતી. માછીમારની જાળ સંભાળતી વખતે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ફિશીંગ નેટના સ્ટીલના વાયર વચ્ચે માછીમારનો પગ ફસાયો હતો. ઈજાગ્રસ્ત માછીમારને બચાવવા માટે ઈન્ડિયન ગોસ્ટગાર્ડ મદેદ આવ્યુ હતું.  


ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, 6 મહિનાથી લટકતું પડ્યું હતું
 
સરકારના એક નિર્ણયથી ભાંગી પડ્યો તલાલાનો ખેડૂતોનો ધંધો, પાયમાલી તરફ ધકેલાયા