અમદાવાદ: વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. પરંતુ ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા સુદામાં સેતુ પર યાત્રિકોની અવરજવર પર 3 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને દરિયાકાંઠે ન જવા તાકિદ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર


વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પુન: પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા છે. 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી. જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...