Iskcon Bridge Accident: અમદાવાદના અબજોપતિનો નરાધમ દીકરો મોડીરાત્રે સીનસપાટા કરવા નીકળ્યો, પરંતુ આ નરાધમના સીનસપાટાથી અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ છે. તથ્ય પટેલ નામના નબીરાએ 150થી પણ વધુની સ્પીડે કાર દોડાવીને 15થી 20 લોકોને રીતસરના હવામાં ફંગોળ્યા હતા. જેમાં 9 લોકોએ પોતાનો જીવ ખોયો છે. હવે પુત્ર તો અકસ્માતના ગુનામાં સંડોવાયો છે, ત્યારે પિતાનો પણ ગુનાઈત ઈતિહાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાબી શોખ પિતા-પુત્રને ભારે પડ્યા! આખુ ગુજરાત જોતું રહ્યું..બે હાથ જોડી, ઉઠકબેઠક કરી


અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ પોલીસે અકસ્માત સ્થળે રિકન્સટ્રકશન કર્યું. આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સટ્રકશન કર્યું હતું. પરંતુ અકસ્માત બાદ 9 લોકોને જીવતા મારનાર આરોપીના ચહેરા પર કોઈ પછતાવો હોય તેવું દેખાતું નહોતું. અકસ્માત બાદ પણ આરોપી ગંભીર જણાઈ રહ્યો નથી. આરોપીના પિતાએ ધમકી આપી તે બદલ પણ ફરિયાદમાં કલમ ઉમેરવામાં આવી છે.  અમદાવાદ પશ્ચિમના DCP નીતા દેસાઈએ જણાવ્યું કે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છતાં તથ્ય પટેલના ચહેરા પર કોઈ પશ્ચાતાપ નહીં. 


આ VIDEO જોઈ ગુસ્સો ફાટશે! ફૂંક મારી વાળ લહેરાવ્યા..કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'
 
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.


'મેં ઝાલીમ હત્યારા, યહાં ફૈલ ગયા મેરે હી મોતો કા જાલ', પોતાના જ ગીતમાં લખેલા એ શબ્દો


ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈને CM એક્શનમાં! જાણો ઈમરજન્સી બેઠક બાદ શું આપ્યા આદેશ?