મુસ્તાક દલ/જામનગર: ભારત સરકાર દ્વારા 2000 નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વેપારીઓ આનાકાની કરી રહ્યા છે. ત્યારે જામનગરના શિખંડના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં 2000 ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને 2100 નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાત્કાલિક અસરથી રૂ.2000ની ચલણી નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત થતા જ 2016ની યાદ તાજી થઈ હતી. હાલમાં રૂ. 2000ની નોટ આગામી સપ્ટેમ્બર સુધી સપ્ટેમ્બર આવતા સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેવાની અને બેંકોમાંથી બદલી આપવાની કરાયેલી કરાયેલી જાહેરાત છતાં મોડી રાતથી જ પેટ્રોલ પંપો પર રૂ.2000ની નોટથી પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ પુરાવવા લોકોની દોડાદોડી શરૂ થઈ છે.


સમોસા ખાતા પહેલાં ચેતજો! સુરતના વ્યક્તિએ સમોસામાં એવું ભર્યું કે દેખશો તો પણ ઉલટી કર


જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ લારી ગલ્લા પથારાવાળાઓએ રૂ.2000ની નોટ લેવાનું બંધ કરી દીધું છે પરિણામે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે તકરાર અને રકઝક શરૂ થઈ છે. રૂ. 2000ની અવેજીમાં લીધેલો માલ સામાન ગ્રાહકોને પરત આપવા વેપારીઓ ખુલ્લેઆમ જણાવે છે અને આવી નોટો લેવાનો સદંતર ઇન્કાર કરી દે છે. ત્યારે જામનગરના વેપારીએ અનોખી પહેલ કરી છે.


નવ નિર્મિત બિલ્ડીંગમાં કરૂણ દુર્ઘટના: સુરતમાં માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી


જામનગરના જાણીતા મીઠાઈના વેપારી શિખંડ સમ્રાટના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં 2000 ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને 2100 નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. ત્યારે લોકો પણ આ સ્કીમમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે જામનગર સહિત રાજ્યભરમાં વેપારીઓ 2000 સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે ...


આને કહેવાય દીકરી! પિતા માટે તેણે જે કર્યું તે વાંચીને સો ટકા આંખમાં આવી જશે આંસુ