મુસ્તાક દલ/જામનગર :જામજોધપુરમાં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. અન્ય પાંચ આરોપીઓને પણ અલગ અલગ સજા જાહેર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’


જામનગરના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસનો આજે ચુકાદો આવ્યો હતો. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ આ કેસમાં આરોપી હતા. વર્ષ 1990માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત નિપજ્યું હતું. વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે કોર્ટમાં રજૂ થયા હતા. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો થશે તેના પર સવારથી જ ચર્ચા હતી. ત્યારે જામનગર સેશન્સ આ વચ્ચે કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.


દલિત ઉપસરપંચ મર્ડર કેસમાં કોંગ્રેસ-જિજ્ઞેશ મેવાણીનો આરોપ, ‘તેમણે સુરક્ષા માંગી હતી છતાં પોલીસે ન આપી’


યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો


કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલામાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિતના 7 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેને પગલે કોર્ટ પરિસરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :