મુસ્તાક દલ/જામનગર: જામનગરનાં કાલાવડમાં મંગળવારે સાંજેના સમયે ઝુપડાઓમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.  આશરે 30 જેટલા ઝુપડાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઝુપડાના રહેવાસીઓમાં ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયરફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળી રહેલી માહિતી અનુસાર આશરે 30 જેટવા ઝુપડાઓમાં આગ લાગી હતી. આગમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળી રહ્યા નથી. પરુંતુ ઝુપડાઓમાં રહેતા લોકોની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યાં હતા. ફાયરની ટીમ દ્વારા આગ લાગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


ઇવીએમ સાચવણીના વેરહાઉસ પાછળ 100 કરોડનો ખર્ચ, પણ નિર્માણ હજી બાકી


 



આગ લાગવાને કારણે ઝુપડપટ્ટીમાં એક બાઇક બળીને ખાખ થઇ ગયું હતું. થોડાક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ફાયરનીટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી મેળવી લેવામાં આવ્યો છે, આગની આ ઘટનામાં સદનસીબે કોઇ પણ જાનહાનીના અહેવાલ નથી. પરંતુ 30 જેટલા ઝુપડાઓનો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.