Jamnagar News: કોઈ વિચાર ન કરી તેવી ઘટના જામનગરમાંબની છે. જામનગર નવાગામ ઘેડમાં યુવતીના લગ્નના આગલા દિવસે પિતાએ આત્મહત્યા કરી લેતા ભારે ગમગીની છવાઈ છે. જે ઘરની બહાર માંડવો લાગ્યો હતો, ત્યા લગ્ન પ્રસંગ થાય તે પહેલા જ માતમ છવાયો. પિતાએ એકાએક જીવન ટૂંકાવી લેતા પરિવારના હૈયાફાટ રૂદનથી આખો વિસ્તાર સમસમી ગયો હતો. દીકરીના હાથમાં મહેંદી લાગી હતી, અને પિતાએ મોત વ્હાલુ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી વિગત અનુસાર, જામનગરના મધુરમ સોસાયટીમાં રહેતા નરોત્તમભાઈ રાઠોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જો કે તેઓએ કયા કારણોસર આપઘાત કર્યો તે તપાસનો વિષય છે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ આદરી છે. પરંતું નરોત્તમભાઈએ પુત્રીના લગ્નના આગલા દિવસે  આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. 


મૃતક નરોત્તમભાઈને સંતાનમાં 3 દીકરી અને એક દીકરો છે. નરોત્તમભાઈ પોતાના ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવારમાંર હેતા હતા. જેમાં પરિવારમાં મોટી દીકરીના લગ્ન લેવાયા હતા. પરિવારમાં લગ્નનો પહેલો જ પ્રસંગ હતો, તેથી આખો પરિવાર ખુશખુશાલ હતો. દીકરીના લગ્ન સિક્કા ગામના યુવક સાથે લેવાયા હતા. આવતીકાલે દીકરીના લગ્ન હતા, ને એકાએક નરોત્તમભાઈ બહાર ગયા હતા. જેના બાદ ઘર પાસેના એક નવા બંધાઈ રહેલા મકાનમાંથી તેમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સૌથી પહેલા દીકરાની જ નજર પિતાના મૃતદેહ પર ગઈ હતી. પિતાને જોઈને તે હેબતાઈ ગયો હતો. જેના બાદ તેણે બૂમાબૂમ કરીને પરિવારને જાણ કરી હતી. 


પિતાનો મૃતદેહ જોતા જ આખો પરિવાર હેબતાઈ ગયો હતો. આખો પરિવારમાં માતમ છવાઈ ગયો. કારણ કે, દીકરીના લગ્નનો માંડવો બંધાઈ ગયો હતો. પરંતુ પિતાએ એકાએક કયા કારણોસર આવું કર્યું. આ ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી હાલ દુખમાં ગરકાવ થયેલા પરિવારે જણાવ્યું કે, તેમને ખબર નથી કે નરોત્તમભાઈએ કયા કારણોસર આવુ કર્યું. 


આમ, હાલ આ ઘટના આખા જામનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. નરોત્તમભાઈના પત્ની અને ત્રણ પુત્રી અને એક પુત્રના હૈયાફાટ રુદનથી વાતાવારણ શોકમય બની ગયું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.