મુસ્તાક દલ, જામનગર: જામનગરના સાંસદ દ્વારા હાલ જ્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે જામનગરની જનતા માટે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત વણજાર કરવામાં આવી રહી છે. જેમાં આજે જામનગરના બે રેલવે સ્ટેશન ખાતે એક્સિલેટર સુવિધાનું ખાત મુહૂર્ત સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા કેન્દ્રીય સરકારમાંથી મંજૂરી મેળવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે મુસાફરોને આ રેલવેની નવી સુવિધાઓથી ફાયદો થશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો...