મુસ્તાક દલ/જામનગર :રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે. શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી. જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગર (Jamnagar) માં રખડતા ઢોરના આતંકની વધુ એક ઘટના CCTV માં કેદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાં ઢોર ધૂસી ગયુ હતું. આ ઢોરે ઘોડિયામાં સૂતા બાળક પર હુમલો કર્યો હતો. જેમાં નાનકડુ બાળક માંડ બચ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના બર્ધન ચોક વિસ્તારની આ ઘટના છે. ચોક વિસ્તારના એક રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું. રહેણાંક મકાનમાં ઢોર ઘુસી જતા ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. રખડતુ ઢોર ઘરના કમ્પાઉન્ડમાં આવી ચઢ્યુ હતું, જેના બાદ તે ઘરમાં ગયુ હતું. ઘરના ઘોડિયામાં બાળક સૂતુ હતું, ત્યારે ઢોરના શિંગડામાં ઘોડિયુ ભરાઈ ગયુ હતું. જેથી બાળક નીચે પડ્યુ હતું. ઘોડિળુ શિંગડામાં ફસાતા ઢોર ભૂરાટે ચઢ્યુ હતું. જોકે, ઘોડિયામાં સૂતા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. પરંતુ ઢોરના આ આતંકમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 



ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવશે તેવુ તેમાં જણાવાયુ હતું. તેમજ જે ઢોર માલિકો દ્વારા તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જામનગર કમિશનરની આ સૂફીયાની વાતોનો કોઈ અમલ થયો નથી. જામનગરમાં હજી પણ રખડતા ઢોરો જોવા મળે છે, અને નાગરિકો પર હુમલાના બનાવો બનતા રહે છે.